
વિધવા સહાય યોજના ગુજરાત 2022 : વિધવા સહાય યોજના ને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. મહિલાઓ તથા બાળકો ના વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્યહાલી દીકરી યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પ્લાયીન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી વિધવા સહાય યોજના અને ગંગા સ્વરૂપ પુન:લગ્ન આર્થિક સહાય યોજના,અમલમાં મૂકવામાં આવેલ છે.
આપણે બધા લોકો જાણીએ છીએ કે, આપણા દેશની વિધવાઓને ઘણીવાર એવી રીતે ઓળખવામાં આવે છે કે જેઓ તેમના પરિવારોની જોગવાઈ કરી શકતા નથી. તેથી નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના ‘Women And Child Development Department (WCD)‘ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે.
જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
આજે આ Aartical, અમે તમને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ગુજરાત વિધવા સહાય યોજનાના મહત્વપૂર્ણ જાણકારી આપીશું. અમે પાત્રતા સાથે યોજનાના મહત્વપૂર્ણ પરિબળો જેવા કે પાત્રતાના માપદંડ, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા, નોંધણી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ પગલું માર્ગદર્શિકા દ્વારા પગલાં બધા જે આ યોજના નો લાભ લેવા માટે જરૂરી છે.
Gujarat Vidhva Sahay Yojana New Updates – નવા સુધારા
- વિધવા સહાય યોજના ને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે.
- રાજ્યમાં 33 જિલ્લાઓમાં આ યોજના મારફતે સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,66,740 (સાત લાખ, છાસઠ હાજર, સાતસો ચાલીસ) વિધવા મહિલાઓને આર્થિક સહાય ચૂકવાય છે.
- બે તબક્કામાં સહાયની રકમને વધારવામાં આવી છે પહેલા તબક્કામાં સહાયની રકમ 750 થી વધારીને 1000 અને બીજા તબક્કામાં 1000 થી વધારીને 1250 કરવામાં આવી છે.
- જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
Details Of Vidhva Sahay Yojana – યોજનાની વિગતો
યોજનાનું નામ | વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) |
લાભ કોને મળશે | નિરાધાર વિધવા બહેનોને |
યોજનાના ફાયદા | 1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે |
યોજનાનો ઉદ્દેશ | વિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો |
ફોર્મ ક્યાંથી મળશે | ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online |
ફોર્મ ક્યાં જમા કરાવવું | ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online |
વિધવા સહાય યોજના થી મળતા લાભ | Vidhva Sahay Yojana Benefits
- વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.
- વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની રહેશે.
- વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.
વિધવા સહાય યોજનાની પાત્રતા
Gujarat Vidhva Sahay Yojana Eligibility Criteria નીચે મુજબના છે.
- 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા (ગંગા સ્વરૂપા આર્થિક) સહાય લાભ મળવાપાત્ર થશે.
- National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
- વિધવા(ગંગા સ્વરૂપા આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income Eligibility Criteria for Vidhva Sahay Yojana) કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકારીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.
- ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્શન યોજના Destitute Widow Pension Scheme(DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી ૪૦ વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
વિધવા સહાય યોજના નો લાભ લેવા માટે જરૂરી પુરાવા ની વિગત. | Required Document for Gujarat Vidhva Sahay Yojana
વિધવા સહાય યોજના નો લાભ લેવા માટે જરૂરી પુરાવા ની વિગત.
|
Beneficiary Selection (વિધવા સહાય યોજના online) – લાભાર્થીની પસંદગી
તમારા અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, દસ્તાવેજો સાથે અરજીમાં ભરેલી તમારી વિગતો સત્તાવાળાઓ દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પછી, જો તમારી અરજી મંજૂર કરવામાં આવે તો તમે મંજૂરી પત્ર મેળવી શકો છો અને યોજનાનો લાભ લઇ શકો છો.
Vidhava Sahay Yojana Helpline
વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.
અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.
ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- સૌપ્રથમ વિધવા સહાય યોજના ફોર્મ ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવું.
- ગ્રામ પંચાયાતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.
તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફીઆ યોજના હેઠળ પોતાને નામ નોંધાવવા માટે ફક્ત 20 રૂપિયાની અરજી ફી લાગુ થશે.
Ganga Swarupa Yojana Online Apply માટેની વેબસાઈટ.

Source : Digital Gujarat Portal Official Website | www.digitalgujarat.gov.in
Vidhva Sahay Yojana Online Check Status Gujarat – અરજીનું ઓનલાઈન સ્તીથી કેવી રીતે જાણી શકાય?
- https://nsap.nic.in/ આ વેબસાઈટ ઓપન કરો
- NSAP વેબસાઈટ ખોલ્યા બાદ મેનુ માંથી Reports પર ક્લિક કરવું.
- Reports માં Beneficiary Search, Track and payment details માં જવું.
- તે પછી ‘Pension Payment Details’ [New] પર ક્લિક કરવું.
- લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું સ્ટેટસ જાણી શકશે.
- Application No / Sanction Order No / Mobile No આ ત્રણમાંથી કોઈ એક એન્ટર કરીને ‘SUBMIT’ બટન પર ક્લિક કરવાથી પેન્શન વિશે ની બધી માહિતી ડિસ્પ્લે થશે.
FAQ – Ganga Swaroop Yojana માં પુછાતા પ્રશ્નો.
Q-1 : વિધવા સહાય યોજના લાભ કોને મળવા પાત્ર છે?
Q-2 : વિધવા સહાય યોજનામાં ક્યા ક્યા સુધારા કરવામાં આવ્યા છે?
Ans : જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.
Q-3 : વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
Ans : વિધવા બહેનોને દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
સારાંસ:-
હેલ્લો મિત્રો’ જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય
તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.